દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની આજે પુણ્યતિથિ છે. તા. 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું. આજરોજ પંડિત જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે પંડિત જવાહરલાલ નેહરુની તસવીરને ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
આ સાથે જ રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી જવાબદારોને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી. પુષ્પાંજલી કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.