ભરૂચ : 413 ગ્રા.પં.માં ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ, બુથ પર જવા પોલિંગ સ્ટાફ રવાના

ભરૂચની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. જિલ્લાના 878 જેટલા બુથો પર મતદાન કરાવવામાં આવશે

New Update
ભરૂચ : 413 ગ્રા.પં.માં ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ, બુથ પર જવા પોલિંગ સ્ટાફ રવાના

ભરૂચ જિલ્લામાં રવિવારે યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ બન્યું છે. 413 ગ્રામ પંચાયતોમાં થનારી ચુંટણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ભરૂચની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. જિલ્લાના 878 જેટલા બુથો પર મતદાન કરાવવામાં આવશે જેના માટે 5 હજાર કરતાં વધારે કર્મચારીઓ અને 2 હજાર કરતાં વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે. જિલ્લાના મતદાન મથકો પર નજર નાખવામાં આવે તો 175 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 259 મતદાન મથકો સંવેદનશીલની કેટેગરીમાં આવે છે. આ મતદાન મથકો ખાતે મતદારો નિર્ભિક બની મતદાન કરી શકે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગ્રામ પંચાયતની ચુંટણી માટે બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવશે.

ભરૂચના 9 તાલુકાઓમાં આવેલી 483 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. જોકે ઉમેદવારી પરત ખેંચાયા બાદ હવે 413 ગામોમાં જ ચૂંટણી થવાની છે. જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. ભરૂચમાં કે.જે. પોલીટેકનીક ખાતેથી અને અંકલેશ્વરમાં જીનવાલા સ્કુલ ખાતેથી પોલિંગ સ્ટાફને ચુંટણીની ફરજો સોંપવામાં આવી હતી. રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. કલેકટર તુષાર સુમેરા, ભરૂચના એસડીએમ એન.આર.પ્રજાપતિ, અંકલેશ્વરના એસડીએમ રમેશ ભગોરા, અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇ સહિતના અધિકારીઓએ હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું...

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું