ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે સુરતના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની અંકલેશ્વરના બાકરોલ ગામમાંથી કરી ધરપકડ

LCB એ સુરતના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વરના બાકરોલ ગામના કામધેનું એસ્ટેટમાંથી ઝડપી પાડ્યો હતો.

New Update
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે સુરતના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની અંકલેશ્વરના બાકરોલ ગામમાંથી કરી ધરપકડ

ભરૂચ એલસીબીએ સુરતના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વરના બાકરોલ ગામના કામધેનું એસ્ટેટમાંથી ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં કોમ્બિંગના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અંકલેશ્વરના બાકરોલ નેશનલ હાઇવે ઉપર આવેલ કામધેનું એસ્ટેટમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી અને મૂળ અંકલેશ્વરના ગડખોલ ગામના આર.કે.નગર અને હાલ ઉમરવાડા રેલ્વે ફાટક પાસે રહેતો ઘરફોડ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો અને પોલીસે જેની પુછપરછ કરતા તેણે ત્રણ વર્ષ પહેલા પોતાના બે મિત્રો સાથે સુરતના કડોદરા વિસ્તારમાં દુકાનને નિશાન બનાવી કોપર વાયર અને બાઈકની ચોરી કરી હતી જેમાં અગાઉ તેના બે મિત્રોની ધરપકડ થઇ હતી જેઓએ તેનું નામ આપ્યું હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે તેને ઝડપી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

Latest Stories
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર, થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • વધુ 4 આરોપીઓની ધરપકડ

  • આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

  • કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા 

  • થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચમાં બહાર આવેલ ચમચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટીયાની ધરપકડ કરી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓના  કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રૂપિયા અન્ય કોના કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસ છે તપાસનો ધમમાટ  શરૂ કર્યો છે.
Latest Stories