ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતા પિતા-પુત્રની કરી ધરપકડ, 21 ગુનાનો ભેદ ઉકેલાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી કુલ 21 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે

New Update
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતા પિતા-પુત્રની કરી ધરપકડ, 21 ગુનાનો ભેદ ઉકેલાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી કુલ 21 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઇકો કારના સાયલન્સરની ચોરીના બનાવો વધ્યા હતા. જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં આ અંગેના અનેક ગુના નોંધાયા હતા ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે ગુનાનો ભેદ ઉકેલવા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કામે લગાડી હતી ત્યારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ તાલુકાનાં લુવારા ગામેથી પિતા પુત્રની આ ગુનામાં ધરપકડ કરી હતી. પિતા હનીફ સિંધિ અને તેનો પુત્ર મુસીર સિંધી પોલીસના હાથે ઝડપાય ગયા હતા. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓ તેમના સંબંધી મુન્ના ભાઈ સાથે બનાવટી નંબર પ્લેટ સાથેની કારમાં સાયલન્સરની ચોરી કરવા નીકળતા હતા અને સાયલન્સરમાંથી પેલેડીયમ ધાતુ કાઢી લઈ અન્ય ઇકો કારમાં લગાવી એ કારના સાયલન્સરની પણ ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરતા સાયલન્સર ચોરીના 21 ગુનાનો ભેદ ઉકેલાયો છે અને તેમની પાસેથી રૂપિયા 2.39 લાખનો મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સાયલન્સરમાં પેલેડિયમ ધાતુ સૌથી મોંઘી હોય છે જેની તસ્કરો ચોરી કરી બજારમાં વેચી દઈ રૂપિયા મેળવે છે ત્યારે આ પ્રકારની ચોરીના બનાવો હાલ વધી રહ્યા છે 

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.
Latest Stories