ભરૂચ: અંકલેશ્વરના નવા દીવા ગામે ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, 4 જુગારીઓ ઝડપાયા
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૩ હજાર મળી કુલ ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
BY Connect Gujarat21 April 2023 10:58 AM GMT
X
Connect Gujarat21 April 2023 10:58 AM GMT
અંકલેશ્વરના નવા દીવા ગામના શામજી ફળિયામાંથી જુગાર રમતી બે મહિલા સહીત ચાર જુગારીયાઓને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો માનીશ ઉર્ફે કનો નટવર વસાવા માણસો ભેગા કરી ફરક આંકનો જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૩ હજાર મળી કુલ ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતી નવા બોરભાઠા ગામના ટેકરા ફળિયામાં રહેતી શબાના સુલતાન મગબુલ શેખ,ગીતાબેન વસાવા અને કનુ સોમદાસ પટેલ અને ચંદુ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયો હતો...
Next Story