ભરૂચ:બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધા યોજાય, મોટી સંખ્યામાં સાયકલવીરોએ લીધો ભાગ

બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરોએ ભાગ લીધો હતો

New Update
ભરૂચ:બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધા યોજાય, મોટી સંખ્યામાં સાયકલવીરોએ લીધો ભાગ

ભરૂચમાં કાર્યરત બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરોએ ભાગ લીધો હતો

ભરૂચ જિલ્લામાં લોકો સાયકલ ચલાવી પોતાના સ્વાસ્થ્ય-મનોબળ મજબૂત થાય અને વધુને વધુ લોકો સાયકલ ચલાવા પ્રેરાય તે હેતુથી બટુકનાથ વ્યાયામ દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈઓની સાયકલ સ્પર્ધામાં 30 કિ.મીમાં 37 તથા બહેનોની 20 કી.મીમાં 18 જેટલા સાયકલવીરોએ ભાગ લીધો હતો.સ્પર્ધાની શરૂઆત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરાવવામાં આવી હતી.સાયકલ સ્પર્ધામાં ભાગ લેનાર રમતવીરો માટે પુરષ્કાર સમારોહ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,રિટાયર્ડ નાયબ મામલતદાર પી.સી.ભગત,ડોક્ટર હર્ષિલ ભાટિયા અને બટુકનાથ વ્યાયામશાળાના પ્રમુખ પિનાકીન રાજપુત, અર્જુનરાવલ ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે સાયકલવિરોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories