ભરૂચ : વિકલાંગોને મદદરૂપ થવાના આશયથી શહેરમાં નીકળી સાયકલ યાત્રા

New Update
ભરૂચ : વિકલાંગોને મદદરૂપ થવાના આશયથી શહેરમાં નીકળી સાયકલ યાત્રા

ભરૂચ શહેરમાં ઇનર વ્હીલ કલબ તથા પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.....

અકસ્માતમાં અથવા જન્મજાતથી પગની ખોડખાંપણ ધરવતાં લોકોને કૃત્રિમ પગ આપી શકાય તે માટે ભંડોળ ભેગું કરવાના શુભ આશયથી સાયકલયાત્રાનું આયોજન કરાયું.. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી સાયકલ સવારોને લીલીઝંડી બતાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ડીવાયએસપી વિકાસ સુંડા, એલસીબી પીઆઇ જે.એન.ઝાલા સહીતના મહેમાનો અને ઇનર વ્હીલ કલબના હોદ્દેદારો અને સભ્યો હાજર રહયાં હતાં. પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે યુવાવર્ગને તેમના સ્વાસ્થય પ્રતિ જાગૃત બનવા હાકલ કરી હતી. તેમણે પોલીસ વિભાગ તથા ઇનર વ્હીલ કલબના આયોજનને બિરદાવ્યું હતું..

હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલા સાયકલ સવારો ઝાડેશ્વર સાંઇ મંદિર અને ત્યાંથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવ્યાં હતાં. આ અવસરે બે સાયકલ સવારો નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસને સન્માનિત કરાયાં હતાં. બંને સાયકલીસ્ટોએ તાજેતરમાં જ 200 કીમીની રાઇડ 10 કલાક અને 50 મિનિટમાં પુર્ણ કરી હતી. બંનેને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે શાલ ઓઢાડવામાં આવી... સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ જિલ્લામાં આવેલી કંપનીઓના સીઆરસી ફંડને એકત્રિત કરી તેમાંથી કૃત્રિમ પગ ખરીદી જરૂરીયાતમંદોને આપવાનો છે.

Read the Next Article

ભરૂચ: વાલિયામાં તા.25 થી 31 ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચના વાલિયા ખાતે કરાયુ આયોજન

  • ઓક્ટોબર માસમાં યોજાશે ભાગવત સપ્તાહ

  • કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

  • આયોજન સંદર્ભે બેઠક યોજાય

  • સપ્તાહ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે 

ભરૂચના વાલીયામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના આયોજન સંદર્ભે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે બેઠક મળી હતી
તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન સંદર્ભે ગ્રુપના જયદીપસિંહ ગોહિલ,નરપતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે મિટિંગ મળી હતી.જેમાં કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ કથામાં જાણીતા કથાકાર રમેશ ઓઝા અમૃતનય વાણીમાં કથાનું રસપાન કરાવશે.જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
Latest Stories