ભરૂચ: યુવા ભાજપ દ્વારા સાયક્લોથોન યોજાય, રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં સાયક્લોથોનનું આયોજન, યુવા ભાજપ અને બાયસિકલ ક્લબનું આયોજન.
BY Connect Gujarat20 Aug 2021 12:10 PM GMT
X
Connect Gujarat20 Aug 2021 12:10 PM GMT
અંકલેશ્વર જોગસપાર્ક પાર્ક ખાતે ભરૂચ જિલ્લા યુવા ભાજપ, અંકલેશ્વર વિધાનસભા વિસ્તાર અને બાયસિકલ કલબ દ્વારા સાયકલોથોનનું આયોજન કરાયું હતું.
આઝાદી કા અમૃતોત્સવ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા યુવા ભાજપ, અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તાર તેમજ બાઈસિકલ કલબ અંકલેશ્વર દ્વારા સાયકલોથોનનું આયોજન કરાયું હતું.
જે સાયક્લોથોન જોગસપાર્ક પાર્ક ખાતેથી નીકળી વિવિધ વિસ્તારો ફરી લોકોને સાઇકલ થકી ફિટ અને સ્વસ્થ રહેવા આગ્રહ કર્યો હતો આ સાયકલોથોનમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને બાયસિકલ કલબના નરેશ પુજારા સહિત યુવા ભાજપના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story