ભરૂચ: સાયખાની ખાનગી કંપનીના સાઇટ હેડ અને સુપરવાઈઝરને જાનથી મારી નાંખવાની ધમકી,પોલીસે તપાસ શરૂ કરી

વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં અનેક નાની મોટી કંપનીઓ આવી રહી છે.જેમાની બુરાકીયા કંપનીમાં એક વ્યક્તિએ ગેરકાયદે પ્રવેશ કરી કામકાજ અટકાવી દેતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ.

New Update
ભરૂચ: સાયખાની ખાનગી કંપનીના સાઇટ હેડ અને સુપરવાઈઝરને જાનથી મારી નાંખવાની ધમકી,પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં અનેક નાની મોટી કંપનીઓ આવી રહી છે.જેમાની બુરાકીયા કંપનીમાં એક વ્યક્તિએ ગેરકાયદે પ્રવેશ કરી કામકાજ અટકાવી દેતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ. કંપની સાઇટ ઇન્ચાર્જ અને કોન્ટ્રાકટ સુપરવાઈઝરને જાન થી મારી નાંખવાની ધમકી મળતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.કામ મેળવવા બાબતે કંપનીના અધિકારીને ધમકી મળતા સાયખા કેમિકલ ઝોનમાં સોંપો પડી જવા પામ્યો છે.

વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમિકલ ઝોન માં અનેક વિધ કંપનીઓ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે.જેમાં બુરાકીયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માં પણ કન્ટ્રક્શન કામ ચાલી રહ્યુ છે.ગત ૨૦ સપ્ટેમ્બર ના રોજ આમદડા ગામના કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ કંપનીમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો.તેણે કંપનીના પ્રોડકશન અને સાઇટ ઇન્ચાર્જ લક્ષ્મણ ભારદ્વાજ ને જણાવ્યુ હતુ કે કંપનીમાની ક્રેન બહાર કાઢો અને મારી ક્રેન કંપનીમાં લગાવો તેમ કહી બોલાચાલી કરી કામ બંધ કરાવી દીધુ હતુ. કંપનીએ મારી પાસેથી એક દિવસના અઢી લાખના ભાવથી ભાડા પેટે લેવી પડશે અને જો આમ નહિ થાયતો બહારથી કોઈ ક્રેન કંપનીમાં જવા દઈશ નહિ.પુનઃ કુલદીપસિંહ ૨૨ સપ્ટેમ્બરના રોજ બપોરે દોઢેક વાગે બળજબરીપૂર્વક કંપની એડમીન ઓફિસમાં ઘુસી ગયો હતો અને કોન્ટ્રાકટ સુપરવાઇઝર અને સાઇટ ઇન્ચાર્જને કહેલ કે તમારે કન્ટ્રક્શનનું રો- મટેરિયલ્સ મારી પાસેથી અમારા કહ્યા મુજબના ભાવથી લેવુ પડશે.જો નહિ લો તો સાયખા ગામના સ્થાનિક માણસોનું ટોળુ ભેગુ કરીને તમારી કંપનીનું કન્ટ્રક્શન કામ ચાલવા દઈશ નહિ અને જો કામ નહીં મળશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા કંપની પ્રોડક્શન અને સાઇટ ઇન્ચાર્જ લક્ષ્મણ ભારદ્વાજે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સોંપો પડી ગયો હતો.વાગરા પોલીસે ધમકી આપનાર કુલદીપસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Latest Stories