Connect Gujarat
ભરૂચ

ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા સ્ટેચ્યું પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાય...

સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

X

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

“ઇન્કલાબ જીંદાબાદ”, “ભારત માતા કી જય” અને “શહીદો અમર રહો”ના નારા સાથે આજે દેશભરમાં શહીદ દિન નિમિત્તે વીર સપૂતોને પુષ્પાંજલિ સહિત શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. “ઇન્કલાબ જીંદાબાદ”ના નારા થકી સમગ્ર દેશના યુવાનોમાં આગવું જોષ ભરી અંગ્રેજોની ગુલામીમાંથી માં-ભોમને આઝાદ કરાવવા માત્ર 23 વર્ષની ઉંમરે હસતા મુખે ફાંસીના માંચડે ચઢનાર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો આજે બલિદાન દિવસ છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા આ શહિદોને વિશેષ યાદ કરવામાં આવ્યા હતા. પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, દિવ્યેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ સહિત ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story