ભરૂચ જિલ્લા જેલકર્મીઓએ પડતર માંગોને લઈ માસ સીએલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો...

જેલ વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જેલ વિભાગના કર્મચારીઓ અતિ ગંભીર ગુનાના બંદીવાનો સાથે સતત સંઘર્ષમાં રહેતા હોય છે.

New Update
ભરૂચ જિલ્લા જેલકર્મીઓએ પડતર માંગોને લઈ માસ સીએલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો...

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ગુજરાત રાજ્યના પોલીસ સંવર્ગના કર્મચારીઓ માટે 'ફિક્સ રકમ' જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં ગુજરાત રાજ્યના જેલ વિભાગના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓને સમાવેશ કરવા બાબતે ભરૂચ જીલ્લા જેલ વિભાગના કર્મચારીઓએ માસ સીએલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.

જેલ વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જેલ વિભાગના કર્મચારીઓ અતિ ગંભીર ગુનાના બંદીવાનો સાથે સતત સંઘર્ષમાં રહેતા હોય છે. તેમની નોકરી પણ અતી કઠીન હોય અને પોલીસ વિભાગમાં કર્મચારીઓની જેમ જ જેલ વિભાગના કર્મચારીઓ પણ ૨૪ કલાક ફરજમાં બંધાયેલ હોય તથા આવશ્યક સેવાઓમાં આવતા હોય અને તેમની દર ત્રણ વર્ષે જીલ્લા ફેર બદલી થતી હોય છે. આવી પરીસ્થિમાં જેલ કર્મચારીઓનું મનોબળ જળવાઈ રહે તથા નિરાષા ઉત્પન્ન ન થાય અને કર્મચારીઓનો ઉત્સાહ અને નૈતીકતા જળવાળ રહે તે હેતુસર ખાસ ભથ્થા, ફિક્સ પગારના કર્મચારીઓનો રજા પગાર તથા વોશીંગ એલાઉન્સ જેલ વિભાગના કર્મચારીઓને મળી રહે અને ફરી વિસંગતતા ઉભી ન થાય તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવતા આજ દિન સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય આવેલ ન હોય જે માંગો સંતોષવામાં આવતી નથી, ત્યારે આ તમામ મુદ્દા બાબતે યોગ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ત્વરીત ન્યાય નહીં મળતા જિલ્લા મુખ્ય જેલ બહાર માસ સીએલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.