ભરૂચના ફાંટા તળાવ વિસ્તારમાં આવેલ ડૉ. આંબેડકર કોમ્યુનિટી હોલની બિસ્માર હાલત થતાં બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી.
ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં આવેલ ડૉ. આંબેડકર હોલ જર્જરીત થઈ ગયો હોય જેને ફરીથી બનવવામાં આવે તેવી માંગ સાથે ભાજપના અનુસૂચિત મોરચા દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અનુસૂચિત મોરચાના દક્ષિણ ઝોનના પ્રભારી રાજેન્દ્ર સુતરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડૉ. બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલની હાલત ખૂબ જ જર્જરીત થઈ ગઈ છે. હોલને સમારકામની તાકીદે જરુરત છે. આ હોલને શિક્ષણ, કે સમાજલક્ષી કામગીરીમાં લેવાય તે માટે તેનું સમારકામ કરવુ આવશ્યક છે ત્યારે વહેલામાં વહેલીતકે આ હૉલનું સમારકામ કરવામાં આવે એ જરૂરી છે.