ભરૂચ: મુશળધાર વરસાદના કારણે મકતમપુર નજીકના કૃષિ યુનિવર્સિટીના ખેતરમાં પાણી ફરી વળ્યું

ભરૂચ જીલ્લામાં ગત રોજ વરસેલા 5 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

New Update
ભરૂચ: મુશળધાર વરસાદના કારણે મકતમપુર નજીકના કૃષિ યુનિવર્સિટીના ખેતરમાં પાણી ફરી વળ્યું

ભરૂચ જીલ્લામાં ગત રોજ વરસેલા 5 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મકતાં પૂર ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીમાં પણ પાણી ભરતા વિધાર્થી દ્વારા વાવેલ પાકને નુકશાન પહોચ્યું છે.

ભરૂચ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં સતત ચાર દિવસથી પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ભરૂચ શહેરમાં વરસ્યો હતો. જેને કારણે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ત્યારે મકતમપુર ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીના ખેતરમાં પાણી ફરી વળ્યું હતું. યુનિવર્સિટીના ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈને યુનિવર્સિટીના વિધાર્થીઓ દ્વારા વાવવામાં આવેલ પાકને નુકશાન પહોચ્યું છે. વધુ કોઈ નુકશાન ન પહોચે તે માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે જેસીબીની મદદથી નાળાની સફાઈ શરૂ કરાઈ હતી. સતત વરસાદી પાણીનો ભરાવો થતાં જાહેર માર્ગ પર પસાર થતા વાહનચાલકોને હાલાકી થઈ હતી. હાલ 15મી જુલાઇ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લોકોનું જનજીવન ખોરવાયું છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories