Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પૂર્વ વિભાગ રાણા સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

રાણા પરીવાર દ્વારા 16 માં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ભરૂચ: પૂર્વ વિભાગ રાણા સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
X

ભરૂચના પૂર્વ વિભાગ રાણા પરીવાર દ્વારા 16માં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો અને વડીલો હાજર રહ્યા હતાં. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નિલકંઠેશ્વર મહાદેવના મંદિર ખાતે રવિવારના રોજ પૂર્વ વિભાગ રાણા પરીવાર દ્વારા 16 માં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સ્નેહમિલન સમારોહમાં ઉદઘાટક ડો.આયુર્વેદા પંચ કર્મ હેલ્થ સેન્ટરના ડો.આશ્લેષા બી.રાણા ,મુખ્ય મહેમાન તરીકે સાયબર ફોરેન્સીક ઇન્વેસ્ટિંગેશન ઓફિસર યશ રાજેશભાઈ રાણા સહિત સમાજના અલગ અલગ વ્યવસાયમાં જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે સમાજના પ્રમુખ આશોક રાણા અને ઉપપ્રમુખ ભૂપેન્દ્ર રાણાએ સમાજના લોકોને આવકારીને દરેકનું મહાનુભાવોનું સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story