ભરૂચ: દ્રષ્ટિહીનને પણ મળશે શિક્ષણનો લાભ; ડિજિટલ લાઈબ્રેરીનો પ્રારંભ

New Update
ભરૂચ: દ્રષ્ટિહીનને પણ મળશે શિક્ષણનો લાભ; ડિજિટલ લાઈબ્રેરીનો પ્રારંભ

નેશનલ એશોસીએશન ફોર ધ બ્લાઇંડ ભરૂચ શાખા દ્વારા આજરોજ ડિજિટલ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. નેશનલ એશોસીએશન ફોર ધ બ્લાઇંડ ભરૂચ શાખા ભરૂચ અને નર્મદા જિલ્લાના દ્રષ્ટિહીન લોકો માટે કાર્યરત છે. ત્યારે આજરોજ સંસ્થા દ્વારા ડિજિટલ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી હતી. આ લાઇબ્રેરીમાં હજારો પુસ્તકો રેકોર્ડ થઈ શકે અને લોકો ડિજિટલ મધ્યમથી તેનો લાભ લઈ શકે.

ઓડિયો બુક્સનો લોકો લાભ લે તે હેતુથી આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ લાઈબ્રેરી માટે ICVEI દ્વારા 50000નું દાન પણ આપવામાં આવ્યું હતું. હાલ અમદાવાદ, સુરત અને ભુજમાં ડિજિટલ લાઈબ્રેરી કાર્યરત છે ત્યારે હવે આજથી ભરૂચમાં પણ ડિજિટલ લાઈબ્રેરી શરૂ થતાં ભરૂચ અને નર્મદાનાં દ્રષ્ટિહીન લોકો પણ તેનો લાભ લઈ શકશે. ભરૂચ અને નર્મદા જિલ્લા દ્રષ્ટિહીન અને દિવ્યંગ લોકોની સેવા કરવા માટે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ શાખા શરૂ કરવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.