ભરૂચ: વી.કે ઝવેરી સાધના વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
વી.કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો
BY Connect Gujarat Desk2 March 2023 11:39 AM GMT
X
Connect Gujarat Desk2 March 2023 11:39 AM GMT
ભરૂચની વી.કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો
ભરૂચની વી.કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે વરિષ્ઠ પત્રકાર, સાહિત્યકાર અને સામાજિક આગેવાન એવા જગદીશ પરમારની અધ્યક્ષતામાં મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ પણ યોજાયો હતો.આ પ્રસંગે સાધના વિદ્યા મંડળના પ્રમુખ સરલા જોશી, ટ્રસ્ટી વસંતલાલ જોશી, આચાર્ય પરેશાબેન પંડ્યા,ગ્લોબલ ભરૂચ ગ્રુપના કિરણ જોશી,જનક સોની તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Next Story