ભરૂચ: એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાનો વિદાય તો ડો.લીના પાટીલનો આવકાર સમારોહ યોજાયો
ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાનો વિદાય તો ડો.લીના પાટીલના આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
BY Connect Gujarat6 April 2022 7:49 AM GMT
X
Connect Gujarat6 April 2022 7:49 AM GMT
ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાનો વિદાય તો ડો.લીના પાટીલના આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે તો તેમના સ્થાને ડો.લીના પાટીલને ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક આપવામાં આવી છે ત્યારે એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાનો વિદાય તો ડો.લીના પાટીલના આવકાર સમારોહનું પોલીસ હેડક્વાટરના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરા,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી,ધારાસભ્ય અરુણસિંહ રણા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ સાથેના તેઓના સંસ્મરણો વાગોળ્યા હતા તો.ડો.લીના પાટિલે પણ વક્તવ્ય આપ્યું હતું .
Next Story