Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનાના પાળાની કામગીરીને પ્રાધાન્યતા આપવા ખેડૂત સમન્વય સમિતિની માંગ...

નર્મદા નદીમાં આવેલ પૂરથી ડાબા કાંઠાના ભાડભૂત બેરેજ યોજનાના ગામોમાં ભારે તારાજી સર્જાવા સાથે જમીન અને ઉભા પાકને ભારે નુકશાન થયું

X

ખેડૂત સમન્વય સમિતિ દ્વારા તંત્રને આવેદન પત્ર અપાયું

ભાડભૂત બેરેજ-પાળા કામગીરીને પ્રાધાન્ય આપવા માંગ

પૂર અસરગ્રસ્તોને પણ વહેલી તકે વળતર ચૂકવવા માંગ

ભરૂચના ભાડભૂત બેરેજ યોજનાના પાળાની કામગીરીને પ્રાધાન્યતા આપવામાં આવે તેમજ પૂર અસરગ્રસ્તોને વળતર ચૂકવાય તેવી માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આવેદન પત્રમાં જણાવાયું છે કે, નર્મદા નદીમાં આવેલ પૂરથી ડાબા કાંઠાના ભાડભૂત બેરેજ યોજનાના ગામોમાં ભારે તારાજી સર્જાવા સાથે જમીન અને ઉભા પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે ભાડભૂત બેરેજ યોજનાના પાળાની કામગીરીને પ્રાધાન્યતા આપવામાં આવે જેથી જમીન ધોવાણ અટકાવી શકાય અને ખેડૂતોની મહામુલી જમીન બચી શકે તેમ છે. આ સાથે જ પૂર અસરગ્રસ્તોને દિવાળીના તહેવાર પૂર્વે વળતર ચૂકવાય તેવી માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Next Story