ભરૂચ : અશા-માલસર પુલ અને માર્ગ પહોળો કરવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી, અધિકારીઓ દોડતા થયા...

ભરૂચના ઝઘડિયાના અશાથી વડોદરાના માલસર સુધીન માર્ગ પર નવીન પુલ બનાવવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી હતી

New Update
ભરૂચ : અશા-માલસર પુલ અને માર્ગ પહોળો કરવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી, અધિકારીઓ દોડતા થયા...

ભરૂચના ઝઘડિયાના અશાથી વડોદરાના માલસર સુધીન માર્ગ પર નવીન પુલ બનાવવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી હતી, ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ પર આવી ખેડૂતોને વળતર આપવા અંગે આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામને વડોદરા જિલ્લાના માલસર સાથે જોડતો નર્મદા નદી પર નવીન પુલ બનાવવાની કામગીરી પુર્ણ થઇ ગઈ છે, ત્યારે નર્મદા નદી પરના આ નવા પુલનું ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવનાર હોય, જેથી પુલને જોડતા રસ્તા પર વરાછા ગામથી ઝઘડિયા તાલુકાના વડીયા તળાવ સુધીના રસ્તાને પહોળો કરવા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસ્તાને સાઈડ પરથી 4-4 મીટર સુધી પહોળો કરવા માટે ખોદી નાખવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક ખેડૂતો આ કામગીરીને લઇને રોષે ભરાયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર કે, કોઈપણ અધિકારી દ્વારા આ બાબતની જાણ કરવામાં આવી નથી, ત્યારે ખેડૂતોએ આ કામગીરી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો. જે સમાચાર મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજરોજ નર્મદા જિલ્લા તેમજ વડોદરા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં ખેડૂતો સાથે વાતચીત કરતા મામલો થાળે પડ્યો હતો. ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. તો બીજી તરફ, સ્થળ પર આવેલ અધિકારીઓએ ખેડૂતોને 5 દિવસમાં લેખિતમાં વળતરની યોગ્ય માહિતી આપવા આવશે, અને ટૂંક સમયમાં જ તમામ ખેડૂતોને વળતર આપવામાં આવશે તેવું આશ્વસન આપ્યું હતું. જોકે, વળતર માટે અધિકારીઓ દ્વારા લેખિતમાં જાણ કરાયા બાદ જ કામ શરૂ કરવા દેવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં 21 વર્ષથી ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડ, ચોરીના 10 ગુનામાં સંડોવણીનો ખુલાસો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૪ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મહારાષ્ટ્રના પરંતુર જાલના ખાતે રહે છે

New Update
Theft Case Bharuch
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૪ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ધરમસીંગ ગુરુબચ્ચસીંગ સીકલીગર મહારાષ્ટ્રના પરંતુર જાલના ખાતે રહે છે જેથી એલ.સી.બી. ટીમને તાત્કાલિક મહારાષ્ટ્રના જાલના ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવી હતી અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા જાલના ખાતે વોચ કરી છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેની પુછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી.ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ભરૂચ તાલુકા પોલીસને સોંપ્યો છે.આરોપી ઘરફોડ સહિતના 10 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.
Advertisment
Latest Stories