ભરૂચ : મનુબર ચોકડી નજીક ખેતરમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરો દોડ્યા...
ખેતરમાં આગ ભભુકી ઉઠતા આસપાસના ઝૂપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો
BY Connect Gujarat Desk29 April 2024 11:53 AM GMT
X
Connect Gujarat Desk29 April 2024 11:53 AM GMT
મનુબર ચોકડી નજીક ખેતરમાં લાગી અચાનક આગ
આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં નાસભાગ
આગના પગલે પાલિકાના ફાયર ફાઇટરોએ દોટ મુકી
પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો
મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ મનુબર ચોકડી નજીક ખેતરમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરોએ દોટ મુકી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલ એક ખેતરમાં આગ ભભુકી ઉઠતા આસપાસના ઝૂપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો હતો. બનાવના પગલે ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં વધતા જતા તાપમાનમાં આગના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિત તેઓની ટીમ ઘટના સ્થળ પર ધસી આવી હતી. જોકે, આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.
Next Story