ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર થશે શરૂ, સુરક્ષા અને સલામતીના પગલા લેવાય એ જરૂરી

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

New Update
ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર થશે શરૂ, સુરક્ષા અને સલામતીના પગલા લેવાય એ જરૂરી

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

દિવાળીના તહેવારને હવે ગણતરીના ‌દિવસો બાકી છે ત્યારે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના સ્ટોલની તૈયારીઓ વેપારી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે ફટાકડાની વેરાઇટી બજારમાં આવી ગઈ છે ફટાકડાના ભાવમાં 50 થી 60 ટકા વધારો થયો છે.પાછલા બે વર્ષથી કોરોના કહેર અને સાથે સાથે દિવાળીના તહેવાર સમયે વરસાદી માહોલ સર્જતાં ફટાકડાના વેપારીઓને રોવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી એક વખત દિવાળીમાં ફટાકડાના ભાવમાં 50થી 60 ટકાના વધારા સાથે વરસાદી માહોલ વચ્ચે સારા વેપારની આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડા બજાર ઉભુ કરવામાં આવે છે અને આ ગ્રાઉન્ડ માનવવસ્તીની નજીક જ છે ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલા ભરવામાં આવે એ જરૂરી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર, ખાતરની અછતના પગલે ભૂમિપુત્રોને મુશ્કેલી

ભરૂચના જંબુસરમાં ખાતરની અછતના પગલે ધરતીના તાતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતો ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે..

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર

  • ખાતરના અપૂરતા જથ્થાના કારણે મુશ્કેલી

  • ધારાસભ્યની રજુઆત બાદ ખાતરનો થોડો જથ્થો આવ્યો

  • પ્રશ્નના નિરાકરણની ખેડૂતોની માંગ

ભરૂચનો જંબુસર તાલુકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. જંબુસરના 80થી વધુ ગામોના ખેડૂતો ખેતીમાં કપાસ તુવેર તેમજ દિવેલાનું વાવેતર કરે છે. હાલમાં ખેતીલાયક વરસાદ થતાં કપાસના છોડને યુરિયા ખાતરની જરૂર પડે છે. તેનો વિકાસ જલ્દી થાય તે માટે પરંતુ ઘણા સમયથી જરૂરિયાત કરતા ઓછું ખાતર આવવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે અને પાકને નુકસાન થાય છે ત્યારે ખેડૂતોએ ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી દીધી હતી.
છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિ સર્જાતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ખાતરનો કેટલોક  જથ્થો આવ્યો હતો જેનું ખેડૂતોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આ તરફ જરૂરિયાત કરતા ઓછું ખાતર મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો હતો. હાલ એક એક ખેડૂત દીઠ 5 ગુણનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાતરની અપૂરતી આવકના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
Latest Stories