ભરૂચ: સેવાશ્રમ રોડ પર આવેલ વીજ ટ્રાન્સફોર્મર નજીક કચરામાં આગ,કોઈ જાનહાની નહીં
સેવાશ્રમ રોડ ઉપર આરતી જવેલર્સની બાજુમાં આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પાસે કચરામાં અચાનક આગ લાગતાં મોર્નિંગ વોક કરવા આવતા લોકોમાં દોડધામ મચી હતી.
BY Connect Gujarat Desk26 Oct 2023 10:26 AM GMT
X
Connect Gujarat Desk26 Oct 2023 10:26 AM GMT
ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આરતી જવેલર્સની બાજુમાં આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પાસે કચરામાં અચાનક આગ લાગતાં મોર્નિંગ વોક કરવા આવતા લોકોમાં દોડધામ મચી હતી.
આજરોજ સવારના અરસામાં આગની ઘટના સામે આવી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આરતી જવેલર્સની બાજુમાં આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મરની નીચે એકત્રિત થયેલ કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી આગે વીજ વાયરને પણ જપેટમાં લેતા આગ વિકરાળ બની હતી આગ અંગેની જાણ ભરુચ નગર પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર જવાનો ટેન્ડર લઈ દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આમ જનતા તેમજ પાલિકા દ્વારા ઠલવાતા કચરાનો યોગ્ય નિકાલ નહીં કરવાને પગલે આગ જેવી ઘટના બનવા પામી છે.જો હજી પણ યોગ્ય સફાઈ અને કાળજી નહીં લેવાય તો આગામી સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય તો નવાઈ નહીં..
Next Story