ભરૂચ : નેત્રંગની પ્રાથમિક કુમાર શાળા ખાતે બાળકોના સર્વાંગી વિકાસ હેતુ ભવ્ય આનંદ મેળો યોજાયો…

ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે.

New Update
ભરૂચ : નેત્રંગની પ્રાથમિક કુમાર શાળા ખાતે બાળકોના સર્વાંગી વિકાસ હેતુ ભવ્ય આનંદ મેળો યોજાયો…

ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવે છે. સાથો સાથ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આનંદ મેળો એ બાળકોમાં સર્જનાત્મક શક્તિઓને વિકાસ થાય તથા બાળકોને ભવિષ્યમાં વેપાર કરવાની તથા નફો નુકસાનની સમજ કેળવાય તથા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેવા હેતુસર ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત પ્રાથમિક કુમાર શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં ગ્રામજનો તથા શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ આનંદ મેળો જોતા ટાઉનનું ખાણીપીણીનું બજાર યાદ આવે એવું હતું. ખૂબ જ સુંદર આયોજન અને શિક્ષણનું આ એક સરાહનીય પગલું કહેવાય તેમ છે. પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અનીતા વસાવા તથા શાળા પરીવાર દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક કુમાર શાળાના આ આનંદ મેળાને એસ.એમ.સી. અઘ્યક્ષ બાલુ વસાવાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આનંદ મેળામાં ખાણીપીણીના 26 જેટલા સ્ટોલ, રમત ગમતના સ્ટોલ, તેમજ સેલ્ફી પોઇન્ટ આ મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાળકો તથા ગામ લોકોએ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી આનંદોત્સવને ઉજવ્યો હતો. આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તેમજ તેઓના સ્ટાફગણે ખૂબ જહેમત ઉઠાવી હતી.

Read the Next Article

ભરૂચ: રૂંગટા વિદ્યાભવન ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું  ઉદ્ઘાટન, વિધ્યાર્થીઓમાં તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો ઉદેશ્ય

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન

  • મોડેલ યુનાઇટેડ નેશન્સનું આયોજન

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચમાં મોડેલ યુનાઇટેડ નેશન- 2025નું ઉદ્ઘાટન શહેરના સ્ટેશન રોડ પર આવેલ રુંગટા વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કૂટનીતિ, ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.ઉદઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે  શ્રીજન પાલસિંહ  CEO – કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા નેતૃત્વ, સામાજિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું હતું.
મહાનુભાવો દ્વારા Future Zone Booklet નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે ભવિષ્ય માટે સર્જનાત્મકતા અને શોધની નવી દિશા સૂચવતું રહ્યો.કોન્ફરન્સને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કરવાની જાહેરાત સમારંભ અધ્યક્ષ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રંગટાએ કરી. BMUN 2025નું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં માત્ર કૂટનીતિ અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું ન હતું પરંતુ જવાબદારી, સહયોગ અને તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો હતો.
Latest Stories