New Update
/connect-gujarat/media/post_banners/58e05e49aa442d67e0424aaadd69f8e20c2d20ab875c842a9d38f9fcbd8bc866.jpg)
ભરૂચના નવા તવરા ગામે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઇ માતાજીના મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના સમસ્ત નવા તવરાના ગ્રામજનો દ્વારા નવા તવરા ગામે નવ નિર્માણ પામેલ ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઇ માતાજીના મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે નવ કલાકે નવચંડી યજ્ઞ સાંજે ચાર વાગ્યે શ્રીફળ હવન અને સાંજે પાંચ કલાકે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત નવા તવરા અને જુના તવરા ગામના ગ્રામજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો