ભરૂચ: કોંગ્રેસના ધારાસભ્ય લાવશો તો આવા જ રોડ મળશે,જુઓ કોણે કર્યા ભર બજારમાં સૂત્રોચ્ચાર
BY Connect Gujarat Desk1 Oct 2021 10:06 AM GMT
X
Connect Gujarat Desk1 Oct 2021 10:06 AM GMT
ભરૂચના આમોદ નગરમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના કાર્યકરે ભર બજારમાં પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા
ચોમાસાની સિઝનમાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચના આમોદ નગરમાં બિસ્માર માર્ગના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આમ આદમી પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં આપના કાર્યકરે હાથમાં પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના કાર્યકરે સૂત્રોચ્ચાર કર્યા હતા કે કોંગ્રેસના ધારાસભ્યો લાવશો તો આવા જ રોડ મળશે. બિસ્માર માર્ગના કારણે આમોદ નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.
Next Story