ભરૂચ: કોંગ્રેસના ધારાસભ્ય લાવશો તો આવા જ રોડ મળશે,જુઓ કોણે કર્યા ભર બજારમાં સૂત્રોચ્ચાર

New Update
ભરૂચ: કોંગ્રેસના ધારાસભ્ય લાવશો તો આવા જ રોડ મળશે,જુઓ કોણે કર્યા ભર બજારમાં સૂત્રોચ્ચાર

ભરૂચના આમોદ નગરમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના કાર્યકરે ભર બજારમાં પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા

ચોમાસાની સિઝનમાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચના આમોદ નગરમાં બિસ્માર માર્ગના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આમ આદમી પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં આપના કાર્યકરે હાથમાં પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના કાર્યકરે સૂત્રોચ્ચાર કર્યા હતા કે કોંગ્રેસના ધારાસભ્યો લાવશો તો આવા જ રોડ મળશે. બિસ્માર માર્ગના કારણે આમોદ નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.
Latest Stories