ભરૂચ : ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું...

કસક બ્રાન્ચ ખાતે કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન.

New Update
ભરૂચ : ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું...

ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત આદિત્ય કોમ્પ્લેક્સમાં આવેલ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ગુજરાતની જાણીતી વીમા કંપની ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં માનવ સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ભરૂચના કસક વિસ્તાર સ્થિત આદિત્ય કોમ્પ્લેક્સમાં આવેલ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ બ્રાન્ચ ખાતે અંકલેશ્વરના કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં અન્યોની મહામુલી જિંદગી બચાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી થઈ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર ગૌરવ ઠુમ્મર સહિતનો સાત્ફ તેમજ અંકલેશ્વરના કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર : મેઘરાજાના ગાજવીજ સાથે આગમન બાદ મહાવીર ટર્નીંગથી લઈને વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક

અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,

New Update
  • અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો

  • ચોમાસાની વિધિવત શરૂઆત

  • કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા

  • વરસાદ સાથે ટ્રાફિકની સમસ્યા સર્જાય

  • મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક  

અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,જ્યારે ટ્રાફિક જામથી પણ વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા.

અંકલેશ્વર પંથકમાં સોમવારની બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી,ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી.વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,જેના કારણે લોકોએ બફારાથી રાહત મેળવી હતી,જોકે એક તરફ જ્યાં વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી,અને વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

વાલિયા ચોકડી વાહનોની અવરજવરથી સતત ધમધમે છે.પરંતુ વાહન ચાલકોની વધુ પડતી ઉતાવળ અને ચોકડી પરથી હેલા નીકળી જવાની જીદના કારણે પણ વાહનો આડા અવળા ઘુસી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાય રહ્યો હોવાનું વાહન ચાલકો કહી રહ્યા છે.અને સર્જાતો ચક્કાજામ પોલીસ માટે પણ સરદર્દ સમાન બની રહ્યો છે.