ભરૂચ : જંબુસર નગરમાં ગણેશજીને ભાવભરી વિદાય, નાગેશ્વર તળાવમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું.

“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ” ના ગગનભેદી નારા સાથે જંબુસર નગર સ્થિત નાગેશ્વર તળાવમાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : જંબુસર નગરમાં ગણેશજીને ભાવભરી વિદાય, નાગેશ્વર તળાવમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું.

"ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ" ના ગગનભેદી નારા સાથે ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત નાગેશ્વર તળાવમાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

Advertisment

ભરૂચના જંબુસર નગરમાં અત્યંત ધાર્મિક વાતાવરણમાં શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. જંબુસર ટાઉનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાની-મોટી પ્રતિમાઓની ઢોલ-નગારાના તાલે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, ત્યારે આ શોભાયાત્રા ગણેશ ભક્તોની ઉપસ્થિતમાં પરંપરાગત રૂટ પર પસાર થઈ નાગેશ્વર તળાવ પહોચી હતી, જ્યાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.

Advertisment