ભરૂચ : જંબુસર નગરમાં ગણેશજીને ભાવભરી વિદાય, નાગેશ્વર તળાવમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું.
“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ” ના ગગનભેદી નારા સાથે જંબુસર નગર સ્થિત નાગેશ્વર તળાવમાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk6 Sep 2022 11:26 AM GMT
X
Connect Gujarat Desk6 Sep 2022 11:26 AM GMT
"ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ" ના ગગનભેદી નારા સાથે ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત નાગેશ્વર તળાવમાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચના જંબુસર નગરમાં અત્યંત ધાર્મિક વાતાવરણમાં શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. જંબુસર ટાઉનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાની-મોટી પ્રતિમાઓની ઢોલ-નગારાના તાલે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, ત્યારે આ શોભાયાત્રા ગણેશ ભક્તોની ઉપસ્થિતમાં પરંપરાગત રૂટ પર પસાર થઈ નાગેશ્વર તળાવ પહોચી હતી, જ્યાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.
Next Story