ભરૂચ : સરભાણ ગામે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા શિવ અવતરણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનોએ પ્રાસંગીક ઉદબોધન કરી રાજયોગનું મહત્વ સમજાવી હાજર લોકોને રાજયોગનો લાભ લેવા જણાવ્યું

New Update
ભરૂચ : સરભાણ ગામે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા શિવ અવતરણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શિવ અવતરણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ખાતે અખિલ ગુજરાત 87મી શિવજયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ-કરજણ કેન્દ્રના સંચાલિકા દીપિકા દીદી, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર તેમજ શિવરાજપુરના વીણા દીદીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુમારી હેમાની દ્વારા શિવનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનોએ પ્રાસંગીક ઉદબોધન કરી રાજયોગનું મહત્વ સમજાવી હાજર લોકોને રાજયોગનો લાભ લેવા જણાવ્યું હતું. આમોદ તાલુકા વિકાસ અધિકારીએ પણ પ્રાસંગીક ઉદબોધન કરી આધ્યાત્મિક શક્તિ જીવનમાં ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. તા. 12મી ફેબ્રુઆરથી 19મી ફેબ્રુઆરી સુધી આયોજિત શિવજયંતિની ઉજવણી પ્રસંગે આધ્યાત્મિક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.