ભરૂચ: આત્મીય સંસ્કારધામમાં સભા સત્સંગની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાનો મામલો, હરિ ભકતો કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન પર ઉતર્યા

યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ પરિવારના હરીભક્તોને સભા ધૂન અને સત્સંગનો પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા હરિભક્તોએ જિલ્લા કલેકટરના દરબારમાં પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
ભરૂચ: આત્મીય સંસ્કારધામમાં સભા સત્સંગની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાનો મામલો, હરિ ભકતો કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન પર ઉતર્યા

ભરૂચના આત્મીય સંસ્કાર ધામમાં સભા સત્સંગની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાના મામલે યોગી ડિવાઇન હરિપ્રબોધ સ્વામીના ભક્તોના દ્વારા તંત્ર તરફથી આંદોલનની પરવાનગી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી રોજ ત્રણ ભક્તો કલેક્ટર કચેરી ગેટની બહાર પરવાનગી માંગણી સાથે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા

આત્મીય સંસ્કારધામ ભરૂચ ખાતે યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ પરિવારના હરીભક્તોને સભા ધૂન અને સત્સંગનો પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા હરિભક્તોએ જિલ્લા કલેકટરના દરબારમાં પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેનું કોઈ પરિણામ ન આવતા આવનારા સમયમાં આંદોલનની ચીમકી ભક્તો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી તે બાબતે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન અપાતા આખરે આજરોજ યોગી ડિવાઇન હરિપ્રબોધ સ્વામીના ભક્તોના દ્વારા તંત્ર તરફથી આંદોલનની પરવાનગી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી રોજ ત્રણ ભક્તો કલેક્ટર કચેરી ગેટની બહાર પરવાનગી માંગણી સાથે ગાંધી ચીંધ્યા માર્ગે અપવાસ આંદોલન પર ઉતર્યા હતા

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.
Latest Stories