Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે શિલા ફલકમ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા...

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિ નિમિત્તે “મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ભરૂચ : મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે શિલા ફલકમ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા...
X

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિ નિમિત્તે “મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે શિલા ફલકમ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આજથી શરૂ કરી આગામી ૩૧ ઓગષ્ટ સુધી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ-માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરી વીરોને સમર્પિત જુદા જુદા કાર્યક્રમો યોજાશે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાથી મંત્રી કુંવરજી બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વીર શહીદોને નમન સાથે અંજલિ અર્પણ કરીને “શિલાફલકમ”નું ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “શિલાફલકમ”ના લોકાર્પણ બાદ “વસુધા વંદન” કાર્યક્રમ હેઠળ અમૃત વાટિકામાં ૭૫ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરી દીપ પ્રજ્વલિત કર્યા બાદ “પંચ પ્રાણ પ્રતિજ્ઞા” લેવામાં આવી હતી. ગામજનોએ પ્રજ્વલિત દીપ સાથે સેલ્ફી લઈ દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા. આ પ્રસંગે નેત્રંગના રહેવાસી માજી સૈનિક વિજય કુંવરજીભાઈ વસાવા તથા પોલીસ ઈન્સપેકટર સ્વ. મણીલાલ વસાવાના પરિજનોને મંત્રીએ તેમના દેશસેવાના અદ્દભુત પ્રદાન બદલ સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા તાલુકા પંચાયત પ્રમુખ સર્વે રીના વસાવા, લીલા વસાવા, શસેવંતુ વસાવા તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story