ભરૂચ: ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ધીંગાણુ ખેલાયું, મારમારીનો વિડીયો થયો વાયરલ

ભરૂચ શહેર ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે મારામારી થતા પોલીસમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

New Update
ભરૂચ: ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ધીંગાણુ ખેલાયું, મારમારીનો વિડીયો થયો વાયરલ

ભરૂચ શહેર ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે મારામારી થતા પોલીસમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ત્રણ કુવા નવી નગરીમાં ગત બુધવારે સાંજના સમયે બે જૂથ બાખડયા હતા. જેમાં બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી જોકે મારામારીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો કુહાડી, ધારીયું, લાકડીના સપાટા વડે હુમલો કરી રહ્યા હતા. પરિણામે ચાર લોકો ઘાયલ થયા હતા.ઇજાગ્રસ્તોમાં નારણ વસાવા, ગલુબેન વસાવા, રોશન વસાવા, શીતલ વસાવાનો સમાવેશ થાય છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Read the Next Article

અંકલેશ્વર : ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યો NH-48, ખરોડ નજીક માર્ગનું સમારકામ હાથ ધરાયું..

અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું ખાડાઓમાંથી પસાર થવામાં વાહન ચાલકોને આંશિક રાહત મળશે

New Update
  • ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યા માર્ગ

  • મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 બન્યો બિસ્માર

  • હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું

  • બ્લોક સહિત મેટલ થકી પેચિંગ વર્કની કામગીરી શરૂ

  • વાહનચાલકોને ખાડાઓમાંથી પસાર થવામાં રાહત મળી

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું છેત્યારે હવે અનેક વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.

મુંબઇથી સુરતભરૂચવડોદરાને જોડતા નેશનલ હાઇવે નં. 48 પર ચોમાસાની ઋતુ દરમ્યાન ઠેરઠેર ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છેત્યારે ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર રસ્તાઓની સાથે દરેક બ્રિજ પર તેમજ સાઇડના રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. એટલું જ નહીંખાડાઓના કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકશાન થઈ રહ્યું છેઅને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

 જોકેમાર્ગ પર પડેલા ખાડાઓ પુરવામાં નહીં આવતા ઢગલેબંધ ફરિયાદો નેશનલ હાઇવે ઓથોરીટીની મુખ્ય કચેરીએ પહોચી હતી. જેથી હવેવરસાદ વચ્ચે ઉઘાડ નીકળતાNHAI દ્વારા તાત્કાલિક ધોરણે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. હાઇવે માર્ગને ખાડામુકત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

અંકલેશ્વરના ખરોડ નજીક હાઇવે માર્ગ પર બ્લોક તેમજ મેટલ મુકીJCBની મદદથી રસ્તા પર પડેલા ખાડાઓને પુરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેમુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.