ભરૂચ : આધુનિક સવલતો ધરાવતી કાશી માઁ બાળકોની હોસ્પિટલનો શુભારંભ, બાળકોને લગતા તમામ રોગનો થશે ઈલાજ...

ભરૂચ શહેરમાં નવજાત શિશુ તેમજ બાળકોના તમામ પ્રકારના રોગના ઈલાજ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી કાશી માઁ હોસ્પિટલનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update
ભરૂચ : આધુનિક સવલતો ધરાવતી કાશી માઁ બાળકોની હોસ્પિટલનો શુભારંભ, બાળકોને લગતા તમામ રોગનો થશે ઈલાજ...

ભરૂચ શહેરમાં નવજાત શિશુ તેમજ બાળકોના તમામ પ્રકારના રોગના ઈલાજ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી કાશી માઁ હોસ્પિટલનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

નવરાત્રીના પ્રથમ નોરતે ભરૂચ શહેરમાં શાલીમાર કોમ્પલેક્ષ ખાતે ચિલ્ડ્રન, નિયોનેટલ કેર અને સર્જીકલ વિભાગ ધરાવતી અદ્યતન સવલતો સાથે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, પીપલોદ સંચાલિત કાશી માઁ હોસ્પિટલનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે નવરાત્રી નિમિત્તે પ્રારંભ થયેલ કાશી માઁ હોસ્પિટલ ખાતે બાળકો માટે આરોગ્ય નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોનું કોઈપણ રોગનું નિદાન નવરાત્રીના 9 દિવસ સુધી કોઈપણ કન્સલ્ટિંગ ફી લીધા વગર કરવામાં આવશે. કાશી માઁ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિક એન્ડ જનરલ સર્જન ડો. હસમુખ ગઢવી અને બાળરોગ નિષ્ણાંત ડો. જેનુલ બાળરોગ નિષ્ણાંત તબીબી સેવાઓ આપશે. આ હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, પીપલોદના પ્રમુખ રાજુ સોની, મંત્રી નીલ સોની, ડો. ચાર્મી સોની, ડો. અંકિત દાણી, ડો. પ્રશાંત શાહ, ડો. અશોક જોહરી, અંકલેશ્વરની યશ બેંક મેનેજરના હીરલ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.