ભરૂચ : આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કૃષિલક્ષી સાધનો અર્પણ કર્યા...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.

New Update
ભરૂચ : આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કૃષિલક્ષી સાધનો અર્પણ કર્યા...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.

ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂ. 27.42 લાખની સબસિડી આપવામાં આવી રહી છે, ત્યારે ભાજપની ડબલ એન્જિનની સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તેવા હિતકારી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે. જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિવિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર સ્થિત હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં આજંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે 93 ખેડૂતોને કલ્ટીવેટર, પ્લાઉ, થ્રેસર અને રોટાવેટર સહિતના સાધનો અર્પણ કરવા સાથે સબસિડીના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી દીપક ચૌહાણ, પુરસા ગામના ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ગોહિલ, વિસ્તરણ અધિકારી કનુ પઢીયાર, ધવલસિંહ રાજ, ગ્રામસેવકો સહિત મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.
Latest Stories