ભરૂચ: જંબુસરમાં ગંદકીના કારણે સ્થાનિકો પરેશાન, ઠેર ઠેર ઉભરાતી ગટરના દ્રશ્યો

ભરૂચના જંબુસર નગરમાં ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગંદકીના પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

New Update
ભરૂચ: જંબુસરમાં ગંદકીના કારણે સ્થાનિકો પરેશાન, ઠેર ઠેર ઉભરાતી ગટરના દ્રશ્યો

ભરૂચના જંબુસર નગરમાં ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગંદકીના પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વરછ ભારત અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો છે જોકે ભરૂચની જંબુસર નગરપાલિકાના સત્તાધીશો પી.એમ.મોદીના આ સંદેશને સાર્થક કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય એવું લાગી રહ્યું છે. જંબુસર નગરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉભરાતી ગટરના કારણે માર્ગ પર દૂષિત પાણી ફરી વળે છે તો બીજી તરફ વિવિધ વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલયમાં અત્યંત ગંદકી જોવા મળી રહી છે જેના કારણે રાહદારીઓ અને મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. જંબુસર નગર સેવા સદનના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વાર ગંદકીના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે એ અત્યંત જરૂરી છે

Read the Next Article

ભરૂચ: ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ગુરુપૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

New Update
  • આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ

  • ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા

  • સનાતન ધર્મ પરિવાર દ્વારા ઉજવણી કરાય

  • ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ આપી હાજરી

ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુપૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુઆશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો.વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભજન સંધ્યા, પૂજા-અર્ચના અને ગુરુવંદના ગુંજ્યાં હતાં. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા. ઉપરાંત, લાયન્સ ક્લબ અંકલેશ્વર અને સનાતન ધર્મ પરિવારના સહયોગથી મેડિકલ કેમ્પ તથા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.