ભરૂચ : જવારાની પૂજા-અર્ચના સાથે કુવારીકાઓએ કર્યો ગૌરીવ્રતનો પ્રારંભ

5 દિવસ માટે ઉજવાતા ગૌરીવ્રતનો થયો પ્રારંભ, કુવારીકાઓએ જવારાની કરી વિશેષ પૂજા-અર્ચના.

New Update
ભરૂચ : જવારાની પૂજા-અર્ચના સાથે કુવારીકાઓએ કર્યો ગૌરીવ્રતનો પ્રારંભ

ભરૂચ શહેર તથા જીલ્લામાં આજથી જવારાની પૂજા-અર્ચના સાથે કુવારીકાઓએ ઉત્સાહ સાથે ગૌરીવ્રતનો પ્રારંભ કર્યો છે. જોકે, કોરોના મહામારીના કારણે મંદિરોમાં ગૌરીવ્રતની પુજા માટે આવતી બાળાઓની ભીડ પણ ઓછી જોવા મળી હતી.

અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. ગૌરી એ દેવી પાર્વતીનું જ નામ છે, ત્યારે નાની બાળાઓ ગૌરીમાં નું પૂજન કરીને 5 દિવસ અલૂણાં એટલે કે, મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે. આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે. મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે. જેમાં તે શિવપાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે.

જોકે, ભરૂચ શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે તહેવારોના ઉત્સાહની મજા બગડી હોય તેમ મંદિરોમાં પણ દર વર્ષની જેમ ગૌરીવ્રત માટે આવતી બાળાઓની ભીડ ઓછી જોવા મળી હતી.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલનો પ્રારંભ

  • સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરાયો

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • રાહત દરે સારવાર મળી રહેશે

અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો  શુભારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.
Latest Stories