ભરૂચ : કોરોનાના કારણે વિદેશમાં નોકરી અટકી, આર્થિક ભીંસમાં આવેલાં મેનેજરે ઘડયો લુંટનો પ્લાન

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે.

New Update
ભરૂચ : કોરોનાના કારણે વિદેશમાં નોકરી અટકી, આર્થિક ભીંસમાં આવેલાં મેનેજરે ઘડયો લુંટનો પ્લાન

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે. મુળ બિહારના અને 2015ની સાલથી ભરૂચમાં રહેતાં તેમજ વિવિધ કંપનીઓમાં મેનેજર તરીકે ફરજ બજાવી ચુકેલાં અમનસિંહ રાજપુત લુંટના કાવતરાનો મુખ્ય સુત્રધાર હોવાની વિગતો સપાટી પર આવી છે.

વિદેશમાં નોકરી માટે એપ્લાય કરનારા અમનસિંહ રાજપુત બે મહિનાથી નોટીસ પિરીયડ પર હતો અને નોકરી વિના આર્થિક સંકડામણ ઉભી થતાં તેણે લુંટનો પ્લાન ઘડી કાઢયો હતો. તેણે પોતાના બે સાગરિતોને બિહારથી ભરૂચ બોલાવ્યાં હતાં અને તેમને વડદલામાં ભાડાના મકાનમાં રાખ્યાં હતાં. અમનસિંહ રાજપુત ઝાડેશ્વર રોડ પર આવેલાં સુંદરમ જવેલર્સમાં અવરજવર કરતો હોવાથી ત્યાં લુંટ ચલાવવાનું નકકી કર્યું હતું. લુંટના કાવતરાને અંજામ આપવા માટે તેમણે ભરૂચના ભોલાવ એસટી બસ ડેપો નજીકથી અપાચે બાઇકની ચોરી કરી હતી. ચોરીની બાઇક પર ત્રણે ધારદાર હથિયાર તથા બનાવટી પિસ્તોલ લઇને સુંદરમ જવેલર્સમાં પહોંચ્યાં હતાં પણ દુકાનદારે બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને એક લુંટારૂને ઝડપી લીધો હતો. બનાવની જાણ થતાં ભરૂચ જિલ્લાની તમામ પોલીસને એલર્ટ કરી દેવાય હતી અને ઠેર ઠેર નાકાબંધી કરી દેવામાં આવી હતી. ફરાર થઇ ગયેલાં બે લુંટારૂઓ પૈકી એકને અંકલેશ્વર રેલવે સ્ટેશન તથા બીજાને શ્રવણ ચોકડી નજીકથી ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીઓ પાસેથી ચોરીની બાઇક તથા મોબાઇલ મળી કુલ એક લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવાયો છે. ભરૂચ પોલીસે પોણા બે કલાકના સર્ચ ઓપરેશનમાં જ ત્રણે આરોપીને દબોચી લીધાં છે. આ અંગે વધુ વિગતો ભરૂચના એએસપી વિકાસ સુંડાએ આપી હતી.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.