ભરૂચ “ચુકાદો” : ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને આજીવન કેદ...

ભરૂચ જિલ્લાના ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને અંકલેશ્વર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

New Update
ભરૂચ “ચુકાદો” : ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને આજીવન કેદ...

ભરૂચ જિલ્લાના ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને અંકલેશ્વર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં 2 લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીનું મોત થયું હતું.

ભરૂચ જિલ્લામાં અતિસંવેદનશીલ ગણાતા હાંસોટમાં વર્ષ 2015 બાદ આધિપત્ય સ્થાપિત કરવા 2 જૂથ વચ્ચે ગેંગવોર ચાલતી હતી. જેમાં તા. 6 જૂન 2017 મંગળવારની સાંજ રક્તરંજિત બની હતી. જેમાં કોંગ્રેસના અગ્રણી અને નામચીન શાબીર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાય હતી. હાંસોટ ખાતે 2 જૂથ વચ્ચે ચાલતી ગેંગવોરમાં શાબીર કાનુગાની સામેના જૂથ દ્વારા ફાયરિંગ કરી હત્યા કરાય હતી. જે અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કુલ 13 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાનીના આધારે 6 વર્ષ બાદ 13 આરોપી પૈકી 10 આરોપીઓને આજીવન કેદની સજા, જ્યારે 2 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે, તો અન્ય એક આરોપીનું કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત નીપજ્યું હતું. કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા તાકવાની સાથે વિવિધ આઈ.પી.સી ધારા હેઠળ સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, ચકચારી શાબીર કાનુગા હત્યા કેસના ચુકાદાને લઇ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો હાંસોટ ખાતે પણ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.