ભરૂચ : કે. જે. પોલીટેકનિક કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો

કોરોના મહામારીના કારણે ઓક્સિજનનું મહત્વ માનવજીવન માટે કેટલુ મહત્વનું છે તેનો અહેસાસ કરાવ્યો હતો

New Update
ભરૂચ : કે. જે. પોલીટેકનિક કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો

ભરૂચની કે. જે. પોલીટેકનિક કોલેજ ખાતે શ્રમ અને રોજગારના વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દિલપ ઠાકોરના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો 72મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો.

કોરોના મહામારીના કારણે ઓક્સિજનનું મહત્વ માનવજીવન માટે કેટલુ મહત્વનું છે તેનો અહેસાસ કરાવ્યો હતો. તે માટે જ વૃક્ષ બચાવો જીવન બચાવો સૂત્ર સાથે સરકારના વનીકરણ વિભાગ દ્વારા અવારનવાર લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવી જીવનમાં એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવા હેતુસર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા શહેરના ભોલાવ ખાતે આવેલ કે. જે. પોલીટેકનિક કોલેજ ખાતે 72માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજય કક્ષાના મંત્રી દિલીપકુમાર ઠાકોરનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.