ભરૂચ : જંબુસરના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામેથી ઝડપી પાડ્યો...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ભરૂચ : જંબુસરના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામેથી ઝડપી પાડ્યો...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહા નિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે અપાયેલ સૂચનાના આધારે જંબુસરના કાવી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી કાર્યવાહી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, છેલ્લા 5 વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હાનો નાસતો ફરતો 35 વર્ષીય આરોપી જયંતિ વાઘેલા રહે; વત્રા ગામ, ખંભાત, જીલ્લો આણંદ. જેને કાવી પોલીસે જંબુસરના ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.