ભરૂચ : જંબુસર નગરના બંટી ફળિયામાં સમયસર પાણી નહીં મળતા હાલાકી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ

જંબુસર નગરના વોર્ડ નંબર 7માં પાણીની સમસ્યા સમયસર ન મળતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી નગરપાલિકા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

New Update
ભરૂચ : જંબુસર નગરના બંટી ફળિયામાં સમયસર પાણી નહીં મળતા હાલાકી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ

ભરૂચ જિલ્લાના જંબુસર નગર પાલિકા વિસ્તાર વોર્ડ નંબર 7ના બંટી ફળિયામાં બોરનું પાણી સમયસર નહીં મળતા રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીનો પ્રશ્ન છે, જે વણઉકલ્યો છે. શહેરીજનોને અત્યાર સુધી મીઠા પાણી માટે તંત્ર દ્વારા માત્ર લોલીપોપ આપવામાં આવી છે. પીવાનું મીઠું પાણી તો ઠીક ઘર વપરાશ માટે બોરનું પાણી પણ પાલિકા દ્વારા સમયસર આપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. નગરના વોર્ડ નં. 7ના બંટી ફળીયામાં બોરનું પાણી કસમયે આપવામાં આવતું હોય, જેથી ત્યાંની મહિલાઓ સહિત રહીશો હેરાન પરેશાન જોવા મળે છે.

જોકે, છેલ્લા 15 દિવસથી બંટી ફળીયામાં બોરના પાણીનો કોઈ સમય નક્કી ન હોય તેવામાં મહિલાઓએ પાણી માટે રાહ જોવી પડે છે. હાલ વેકેશનનો સમય ગાળો હોવાથી દરેક ઘરોની જનસંખ્યામાં વધારો હોય છે, ત્યારે સમયસર પાણી અને પાણીનો સમય વધારવાની માંગ સાથે સ્થાનિકો પોતાની વેદના ઠાલવી રહ્યા છે. ઊપરાંત ભુગર્ભ ગટર યોજનાની મોટર બળી ગઈ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ઉભરાવવાના બનાવો બનતા હોય છે, જેને લઈ પાલિકા તંત્ર દ્વારા ટંકારી ભાગોળ, ભાગલીવાડ અને બંટી ફળીયાના પાણીના સમયમાં ફેરફાર કરાયો છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.