ભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત

જિલ્લામાં કાકાના હુલામણા નામથી ખ્યાતિ પ્રાપ્ત એવા સ્વ.જયેશ અંબાલાલ પટેલના નામે ઝાડેશ્વર ખાતે શિક્ષણ સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ શહેર જિલ્લામાં કાકાના હુલામણા નામથી ખ્યાતિ પ્રાપ્ત એવા સ્વ.જયેશ અંબાલાલ પટેલના નામે ઝાડેશ્વર ખાતે શિક્ષણ સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે કાકાના હુલામણા નામથી જાણિતા એવા અને લડાયક નેતા સ્વ.જયેશ પટેલની કર્મભૂમિમાં જયેશભાઈ અંબાલાલ પટેલ શૈક્ષણિક સંકુલનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ શાળા કેળવણી મંડળના પ્રમુખ અને સ્વ . જયેશ પટેલના ધર્મપત્ની કલ્પનાબેન પટેલ પુત્ર મહર્ષિ ઉપસ્થીત રહ્યા હતા.આ સંકુલ શૈક્ષણિક દ્રષ્ટીએ ખુબ આદર્શ સંકુલ તરીકે સાબિત થશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડક અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલે વ્યકત કર્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિહ અટોદરિયા ,પુર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા , તાલુકા પંચાયતના સભ્ય કૌશિક પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : લુવારા ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો,NH-48ના ફ્લાયઓવર કામના કારણે ખેતરોમાં ભરાયા પાણી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે.

New Update

લુવારા પાસે નિર્માણ થઇ રહ્યો છે ફ્લાયઓવર

ફ્લાયઓવરથી ખેડૂતોની મુશ્કેલી વધી

ફ્લાયઓવરથી  ખેતરમાં ભરાયા પાણી

ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરિટીમાં કરી રજૂઆત  

ખેડૂતોએ હાઇવે ઓથોરિટી સામે વ્યક્ત કર્યો રોષ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે. ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઉંચુ રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છેજેના કારણે પાક બગડવાનો ભય ઉભો થયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છેછતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી.ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છેજેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે.હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે.

Latest Stories