ભરૂચ:ઝઘડિયા તાલુકાના તેજપોર ગામેથી દીપડો પાંજરે પુરાયો
વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થાને છોડી મૂકવામાં આવશે
BY Connect Gujarat20 Aug 2023 10:17 AM GMT
X
Connect Gujarat20 Aug 2023 10:17 AM GMT
ભરૂચઝઘડિયા તાલુકાના તેજપોર ગામે દીપડાએ દેખા દેતા ગ્રામજનો દ્વારા ઝઘડીયા વનવિભાગને જાણ કરવામાં આવી હતી જે બાદ વનવિભાગના કર્મચારીઓ દ્વારા 10 દિવસ પેહલા તેજપોર ગામની નહેર પાસે પાજરૂ મુકવામાં આવ્યું હતું દીપડાને લલચાવવા પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું હતું ત્યાર બાદ આજરોજ વહેલી સવારે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી કે એક દીપડો પાંજરમાં પુરાયો છે તેની જાણ થતા ઝઘડિયા વનવિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને પાંજરામાં પુરાયેલ દીપડાને સલામત રીતે ઝઘડિયા વનવિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થાને છોડી મૂકવામાં આવશે તેમ જણાવામાં આવ્યું હતું
Next Story