ભરૂચ : પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોની તંત્રને રજૂઆત...

પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.

New Update
ભરૂચ : પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોની તંત્રને રજૂઆત...

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. અને ત્યારબાદ જીલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી હતી.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાના મુદ્દે પાલિકા વિપક્ષના સભ્યો સાથે સ્થાનિકોએ વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે, જ્યાં લાંબા સમયથી લો-વોલ્ટેજ સહિત વારંવાર વીજ કાપની સમસ્યા સામે આવી છે. જે અંગે વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આખરે કંટાળીને વિવિધ સોસાયટીના અગ્રણીઓ સહીત સ્થાનિકોએ પાલિકા વિપક્ષના સભ્ય એવા વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સભ્ય ઇબ્રાહિમ કલકલ સાથે પાંચબત્તી વિસ્તાર સ્થિત વીજ કચેરી ખાતે હાય હાયના નારા સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરતા વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ સ્થાનિકોએ જીલ્લા કલેકટર કચેરી ખાતે પણ રજૂઆત કરી હતી. લો-વોલ્ટેજના કારણે ઉનાળામાં બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી પડતી હોવાનું જણાવવા સાથે વીજ ઉપકરણોને પણ નુકશાન થતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે, હવે આ સમસ્યાનું નિવારણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તો બીજી તરફ, વીજ કચેરીના ઇજનેર દ્વારા રહીશોની રજૂઆત બાદ સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ: પર્યાવરણ બચાવો પરંપરા જાળવોના સૂત્ર સાથે દંપત્તીની અનોખી પહેલ, શ્રીજીની માટીની પ્રતિમાઓનો કરે છે શણગાર

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં રહેતા હિતેશ લાલજી વાઘેલા અને તેમની પત્ની મનીષા વાઘેલાએ પોતાના નાનકડા ઘરેથી એક મોટુ પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો

New Update
  • ગણેશ મહોત્સવની તૈયારીઓ

  • ભરૂચના દંપત્તીની અનોખી પહેલ

  • માટીની શ્રીજીની પ્રતિમાઓનો કરે છે શણગાર

  • પર્યાવરણ બચાવો- પરંપરા જાળવોનું સૂત્ર

  • પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાનો ઉપયોગ ટાળવા અનુરોધ

આવનારા દિવસોમાં દુંદાળા દેવા શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચનું દંપત્તી પર્યાવરણ બચાવો,પરંપરા જાળવોના સૂત્ર સાથે શ્રીજીની માટીની પ્રતિમાઓ કલાત્મક રીતે શણગારવાનું કાર્ય કરી રહ્યા છે.
ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં રહેતા હિતેશ લાલજી વાઘેલા અને તેમની પત્ની મનીષા વાઘેલાએ પોતાના નાનકડા ઘરેથી એક મોટુ પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો છે. ઘરમાં પગ મૂકતાં જ માટીની સુગંધ ભભુકે છે અને આંખે પડે છે  શ્રદ્ધાથી શણગારેલી માટીના ગણેશજીની મૂર્તિઓ – જે માત્ર શણગાર નથી પરંતુ એક સંદેશ વહન કરે છે.ગણેશ વિસર્જન બાદ નદીઓમાં ભંગાતી POPની મૂર્તિઓના દ્રશ્યો આસ્થાને ઠેસ પહોંચાડે છે ત્યારે  દંપતીએ મુંબઈથી ખાસ માટીની ગણેશમૂર્તિઓ મંગાવવાનું શરૂ કર્યું.
આ મૂર્તિઓને ઘરમાં જ કલાત્મક રીતે શણગારી અને વેંચવાની એક અનોખી પહેલ કરી.આજે એમનું ઘર નાનકડા શો રૂમમાં બદલાઈ ગયું છે, જ્યાં ભવ્ય શણગાર, શાંતિપૂર્ણ વાતાવરણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ દરેક મુલાકાતીને આકર્ષે છે.પર્યાવરણ બચાવો, પરંપરા જાળવો એમનું સૂત્ર છે. માટીની મૂર્તિઓથી વિસર્જન પછી પણ પાણી શુદ્ધ રહે છે અને જળચર જીવોને નુકસાન થતું નથી.