ભરૂચ: મનસુખ વસાવા અને ચૈતર વસાવા આ તારીખે ભરશે ઉમેદવારીપત્ર
ભરૂચ લોકસભા બેઠકમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.
BY Connect Gujarat Desk12 April 2024 6:37 AM GMT
X
Connect Gujarat Desk12 April 2024 6:37 AM GMT
ભરૂચ લોકસભા બેઠકમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.
ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે ચૂંટણી તંત્ર દ્વારા નોટિફિકેશન એટલે કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આજથી 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ત્યારે ભરૂચમાં પણ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.ભરૂચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા તારીખ 15મી એપ્રિલના રોજ વિજય મુરતમાં પોતાનો ઉમેદવારી પત્ર ભરશે.આ સાથે જ શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા દ્વારા તારીખ 17મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે તેઓ દ્વારા પણ વિશાળ રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ ભરવામાં આવશે.
Next Story