ભરૂચ: વેજલપુર વિસ્તારમાં આવેલ અંબે માતા વિદ્યાલયમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો સન્માન સમારોહ યોજાયો

જિલ્લા રચનાત્મક ક્લ્યાણ ટ્રસ્ટ અને અંબે માતા વિદ્યાલય દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: વેજલપુર વિસ્તારમાં આવેલ અંબે માતા વિદ્યાલયમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો સન્માન સમારોહ યોજાયો

ભરૂચ જિલ્લા રચનાત્મક ક્લ્યાણ ટ્રસ્ટ અને અંબે માતા વિદ્યાલય દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના વેજલપુર વિસ્તારમા આવેલ અંબે માતા વિદ્યાલય ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશમિસ્ત્રી, શહેર ભાજપના મહામંત્રી દીપક મિસ્ત્રી, જીગ્નેશ મિસ્ત્રી સહિત શાળાના પ્રમુખ, આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવનાર ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.