ભરૂચ : "મોના"ના નિધનથી પરિવાર શોકમગ્ન, નર્મદા તટે કરાયાં અંતિમ સંસ્કાર

મોના નામની માદા વાનરનું થયું મોત, માદા વાનર અંધ હોવાથી ચાલતી હતી સારવાર.

New Update
ભરૂચ : "મોના"ના નિધનથી પરિવાર શોકમગ્ન, નર્મદા તટે કરાયાં અંતિમ સંસ્કાર

ભરૂચમાં મોનાના નિધન બાદ ઘેરા શોકની લાગણી ફરી વળી છે. મોના એ કોઇ યુવતી નથી પણ એક અંધ માદા વાનર છે. સારવાર દરમિયાન તેનો જીવનદીપ બુઝાય જતાં નર્મદા તટે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

ભરૂચ શહેર અને જિલ્લામાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા અબોલ જીવોની સેવા કરવાનું અભિયાન ચાલી રહયું છે. ભરૂચના વનવિભાગ તરફથી સંસ્થાને એક અંધ માદા વાનર સારસંભાળ માટે આપવામાં આવ્યું હતું. સંસ્થાએ માદા વાનરને મોના નામ આપી તેની ચાકરી શરૂ કરવામાં આવી હતી. થોડા જ સમયમાં મોના મન મૈત્રી પરિવારનો એક ભાગ બની ગઇ હતી.

ગતરોજ સારવાર દરમિયાન મોનાએ કાયમના માટે આંખો મીચી દીધી હતી. મોનાની અણધારી વિદાયથી મન મૈત્રી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પાવન સલિલા મા નર્મદાના તટે મોનાના શાસ્ત્રોકત વિધિથી અંતિમ સંસ્કાર કરાયાં હતાં.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.