/connect-gujarat/media/post_banners/cf8d27325e1a1a5e2e95b63624f2db9d33a32f52400bf662ecd041d94ebce98f.jpg)
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પાલિકાનું સરદાર શોપિંગ દિવસેને દિવસે જર્જરિત બની રહ્યું હોવાથી દુકાનદારો અને અહીં આવતા ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે પાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરનું સમારકામ કરાવવામાં આવે માંગ ઉઠી છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી બે મંજલી પાલિકાનું જ પોતાનું સરદાર શોપિંગ સેન્ટર ખખડધજ અને જર્જરિત અવસ્થામાં છે. શોપિંગના એસોસીએશને અનેક વખત રજૂઆતો કરી છે. પાલિકાએ પણ લાખોના ખર્ચે જર્જરીત બની રહેલા શોપિંગ સેન્ટરના રીનોવેશનની જાહેરાતો કરી છે પણ આજદિન સુધી તેની મરામતનું મુહૂર્ત પાલિકાએ કાઢ્યું નથી.
દરમિયાન ફરી આ શોપિંગની છતના પોપડા તૂટીને નીચે પડી રહ્યા છે.આ શોપિંગની ગેલેરીમાં પણ તિરાડો પડી ગઈ હોય સ્થાનિક દુકાન ધારકોએ તાર બાંધીને તેને જકડી રાખ્યા છે.આ શોપિંગમાં મોટા પ્રમાણમાં લોકોની દિવસભર અવરજવર સાથે ટ્યુશન ક્લાસિસોમાં કેટલાય બાળકો આવે છે ત્યારે શોપિંગ સેન્ટરના સમારકામની માંગ કરવામાં આવી છે.