ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર કારમાં જોખમી સ્ટંટ કરવો યુવાનોને ભારે પડ્યો, પોલીસે કરી ધરપકડ

ભરૂચમાં નર્મદા મૈયાબ્રિજ પર કારમાં યુવાનોએ કર્યો જોખમી સ્ટંટ, સોશ્યલ મીડિયામાં વિડીયો થયો હતો વાયરલ, પોલીસે યુવાનોની કરી ધરપકડ

New Update
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર કારમાં જોખમી સ્ટંટ કરવો યુવાનોને ભારે પડ્યો, પોલીસે કરી ધરપકડ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોખમી રીતે સ્ટંટ કરી વિડીયો વાયરલ કરનાર યુવાનોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચથી અંકલેશ્વર તરફ કેટલાક યુવાનો ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હતા.ત્રણથી ચાર જેટલા યુવાનો ફોરવીલર ગાડીની બહાર દરવાજા પર બેસીને વિડીયો શુટીંગ કરી રીલ બનાવી હતી. જેમાં ટાઇટલ માર્યું હતું "યારો કા કાફલા "એક કારમાં ચાર ઈસમ જ્યાં કારની બહાર બેસ્યા હતા ત્યાં બીજી કારમાં રહેલા ઇસમે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મુકતા વાયરલ થયો હતો.

પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય અને મોબાઈલ મેનિયા યુવાનમાં એટલી હદે વટવા હતી કે પોતાના જીવને જોખમ પણ ઊભું કર્યું હતું.આ રીલ બનાવનાર નબીરાઓ અંકલેશ્વરના હોવાનું સામે આવતા પોલીસે વીડિયો બનાવી વાયરલ કરનાર સૌરવ સુનિલ સિંગ, ઓમ પ્રકાશ શર્મા, અભિષેક સહાની, અરમાન રુસ્તમ અન્સારીને કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.