નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આદિવાસી સમાજે શિક્ષકના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથરસા ગામના રહેવાસી અને પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવાએ પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાય છે, ત્યારે આ મામલે માથરસા સહિત આસપાસના ગામ તેમજ ભરૂચના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મુકવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી, ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જુઠા વાયદા કરે છે, પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં આવતા નથી, ત્યારે શિક્ષક ભારજી વસાવાને સાચી રજૂઆત બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે, જે નિંદનીય બાબત છે. જેને આદિવાસી સમાજ વખોડી નાખે છે. આ સાથે જ શિક્ષક ભારજી વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાય રહે, અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શન મળી રહેની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ : મનસુખ વસાવા પર પાણી મુદ્દે ટિપ્પણીનો વિડિયો વાયરલ કરતાં નર્મદા-પાનખલાના શિક્ષક સસ્પેન્ડ, આદિવાસી સમાજનું તંત્રને આવેદન
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આદિવાસી સમાજે શિક્ષકના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથરસા ગામના રહેવાસી અને પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવાએ પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાય છે, ત્યારે આ મામલે માથરસા સહિત આસપાસના ગામ તેમજ ભરૂચના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મુકવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી, ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જુઠા વાયદા કરે છે, પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં આવતા નથી, ત્યારે શિક્ષક ભારજી વસાવાને સાચી રજૂઆત બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે, જે નિંદનીય બાબત છે. જેને આદિવાસી સમાજ વખોડી નાખે છે. આ સાથે જ શિક્ષક ભારજી વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાય રહે, અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શન મળી રહેની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય
ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે. Featured | સમાચાર
ભરૂચ: દહેજ પોલીસે કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.3 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ
ભરૂચની દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી.કે દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડની બાજુમાં સાત જેટલા ટેન્કરો Featured | સમાચાર
ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ
ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી ગુજરાત | સમાચાર |
ભરૂચ: આમોદ ખાતે ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષની કરાય ઉજવણી, આગેવાનો કાર્યકરો જોડાયા
વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આગેવાનો-કાર્યકરો જોડાયા ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ: આયુષ આરોગ્ય મંદિર દ્વારા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
વડોદરાની ઝાઇડ્સ હોસ્પિટલના સહયોગથી ભરૂચની જય અંબે વિદ્યાલય ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ: જંબુસરના સ્વરાજ ભવન ખાતે વિશ્વ યોગ દિવસની કરાય ઉજવણી, યોગ-પ્રાણાયમ થકી નિરોગી રહેવા કરાયા પ્રયાસ
ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા ગુજરાત | સમાચાર
ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય
બ્રાઝિલના સાન્ટા કેટરિનામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ, 8 લોકોના કરુણ મોત, 13 લોકો થયા ઇજાગ્રસ્ત
ભરૂચ: દહેજ પોલીસે કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.3 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ
રેલવેએ કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો લીધો નિર્ણય
રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર