Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નસવાડીના શ્રમિકે કરમાડ-વાસી માર્ગ પર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

કરમાડ ગામથી વાસી જવાના માર્ગની બાજુમાં એક શ્રમિક ઈસમે વૃક્ષની ડાળી પર કોઈ કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે.

ભરૂચ : નસવાડીના શ્રમિકે કરમાડ-વાસી માર્ગ પર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...
X

ભરૂચ જિલ્લાના કરમાડ ગામથી વાસી જવાના માર્ગની બાજુમાં એક શ્રમિક ઈસમે વૃક્ષની ડાળી પર કોઈ કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના મનુબર ગામમાં આવેલી આંગણવાડી ખાતે નસવાડી તાલુકાનો શ્રમિક પરિવાર બ્લોક નાખવાનું કામગીરી કરતો હતો. જેમાં એક 25 વર્ષીય યુવક આશિષ ગણપતભાઈ વલવીએ ગતરોજ જ્યાં તે લોકો રહે છે, ત્યાંથી કોઈને કઈપણ કહ્યા વગર જતો રહ્યો હતો. ત્યારબાદ તેણે કરમાડ ગામથી વાસી જવાના માર્ગની બાજુમાં અગમ્ય કારણોસર વૃક્ષની ડાળી પર દોરી વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ થતાં જ ગ્રામજનોના ટોળે ટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ બનાવની ભરૂચ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી શ્રમિક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story